કોઈપણ જાતનો તાવ હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ દોઢ અનિભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી. કોઈપણ તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતારી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચઢતી નથી. તુલસી અને સૂરજમુખીના પણ વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ માટે છે. તુલસીના પણ, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ માટે છે. લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે. ગરમ કરેલા દૂધમાં હળદર કે મારી મેળવીને પીવાથી તાઢિયો તાવ મટે છે. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢીયો તાવ મટે છે. ફુદીનાનો ને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.