પેટ્રોલમાં થયેલા જંગી ભાવ વધારાનો વિરોધ કરતા એનડીએ દ્વારા 31 મે ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. એનડીએ કન્વીનર અને જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું છે કે આ મામલે વિપક્ષી ગઠબંધનની તમામ પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. ઉપરાંત એનડીએ અન્ય પાર્ટીઓ પાસે પણ આ મામલે સમર્થનની માંગ કરશે. શરદ યાદવે કહ્યું કે સરકારની ખોટી નીતિઓને કારણે સામાન્ય માણસને સહન કરવાનો વારો આવે છે. ચીજવસ્તુઓના સતત વધતા ભાવ પણ સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બનાવી રહ્યા