ભાજપના નેતા અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રવિશંકર પ્રસાદે તેની સત્તાવાર જાહેરાત કરી હતી. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે એનડીએમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સહમતિ સધાઈ નથી. શિવસેના અને જદ (યૂ) એનડીએ રાષ્ટ્રપતિ માટે પોતાના ઉમેદવાર રજુ કરે તેવી વિરોધમાં છે. પરંતુ મુખ્ય વિરોધી પક્ષ હોવાના નાતે અને યુપીએ સરકારના વલણને ધ્યાનમાં રાખતા અમે અમારો ઉમેદવાર મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. સુષ્માએ જણાવ્યું હતું કે પાર્ટીએ સત્તાવારરીતે સંગમાનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. અકાલી દળ પણ સંગમાનું સમર્થન કરવા તૈયાર છે. કોંગ્રેસ પર નિશાન સાધતા સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલીએ કહ્યું હતું કે સત્તાધારી યૂપીએ ગઠબંધનમાં સામાન્ય સહમતિ બનાવવાનો પ્રયત્ન કર્યો નથી. પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધા બાદ વડાપ્રધાને માંગેલા સમર્થનને અડવાણીએ ફગાવી દીધું હતું. અરૂણ જેટલીએ આ મુદ્દે જણાવ્યું હતું કે શિવસેના અને જદ (યૂ) અમારાથી જુદુ મંતવ્ય ધરાવે છે, પરંતુ તેની રાજકીય જોડાણ પર કોઈ જ અસર નહીં પડે. જેટલીએ આશા વ્યક્ત કરી હતી કે જદ (યૂ)અને શિવસેના પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે અને સંગમાનું સમર્થન કરશે. રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે સંગમાએ એનસીપી સાથે ગઈ કાલે છેડો ફાડ્યો હતો. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંગમા પ્રણવદાની સામે મેદાને પડશે.