ગુજરાત કોંગ્રેસના મોવડી ગણાતા શંકર સિંહ વાઘેલાએ ગઈ કાલે રવિવારે ગાંધીનગર જીલ્લાના કોબા ખાતે કોંગ્રેસ અલ્પસંખ્યક પ્રકોષ્ઠની એક સભાને સંબોધતા કરેલા ભાષણને લઈને વિવાદ ઉભો થવા પામ્યો છે. શંકર સિંહે મુસ્લિમોની આ સભામાં કહ્યું હતું કે અમે તમાર પર જ નિર્ભર છીએ. કોંગ્રેસ પર પહેલાથી જ મુસ્લિમ સમર્થક પાર્ટી હોવાનો આરોપ છે. તેથી અમને વિજયી બનાવવાની જવાબદારી તમારા પર છે. વાઘેલાએ કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના તમામ મુસલમાનોએ મોટી સંખ્યામાં સામે આવીને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવું પડશે. શંકર સિંહ વાઘેલાના આ નિવેદનને લઈને ભારે હોબળો મચી જવા પામ્યો છે. રાજ્યની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ વાઘેલાના આ નિવેદનને વોટની રાજનીતિ ગણાવીને વખોડી કાઠ્યો હતો. સભામાં વાઘેલાએ જણાવ્યું હ્તું કે હું અગાઉ રાધનપુરમા તમારા (મુસ્લિમો)ના કારણે શંકરૂલ્લાહ ખાનના રૂપમાં બદનામ થઈ ચુક્યો છું. ઉલ્લેખનીય છે કે વાઘેલા 1997માં રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતાં. આ ચૂંટણી દરમિયાન વિરોધપક્ષના ઉમેદવારોએ વાઘેલાને મુસ્લિમ ટોપી પહેરેલા દર્શાવતા પોસ્ટર વહેંચ્યા હતાં.