જાપાનની સુઝૂકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓસામુ સુઝૂકી અને મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ શિન્ઝો નાકાનિશી શનિવાર, ૨૫ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બેચરાજી નજીકના હંસલપુર ખાતે તેમની કંપનીના પ્લાન્ટની મુલાકાતે ગયા હતા. તે પહેલા તેઓ ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. સુઝૂકીની માલિકીની મારુતિ સુઝૂકીના હરિયાણામાં માનેસર સ્થિત પ્લાન્ટમાં કામદારોના અસંતોષને લીધે ઉત્પાદનને માઠી અસર પહોંચી હોવાથી તેના હંસલપુર પ્લાન્ટ ખાતે વાહનોના ઉત્પાદનની ક્ષમતા ડબલ કરવાનું નક્કી કર્યું છે. ૭૦૦ એકરની જમીનમાં પથરાયેલો હંસલપુર પ્લાન્ટ ૨૦૧૫-૧૬ સુધીમાં શરૂ થઈ જવાની ધારણા છે. સુઝૂકી કંપનીના માલિક ઓસામુ સુઝૂકીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે છે નરેન્દ્ર મોદી.
000