સમગ્ર વિશ્વ 20મી માર્ચે "વિશ્વ ચકલી દિન" તરીકે ઉજવે છે. ચકલીઓની ઘટતી વસ્તીના અનેક કારણો છે પરંતુ તેમાંનું સૌથી મોટું કારણ આપણી જ અવગણના છે. પહેલાં મકાનોમાં ચકલીઓ માટે ગોખલા રખતા હતા. આજે પાકા મકાનો બનતા ચકલીઓ ના કુદરતી રહેઠાણ ની સંખ્યા ઘટી છે. તેમનો કુદરતી આવાસ જોખમાઈ રહ્યો છે. લોકો એટલાં વ્યસ્ત છે કે આવાં પક્ષીઓનું અસ્તિત્વ રહેશે કે નહીં તે જાણવા માટે તસદી લેતાં નથી. "વિશ્વ ચકલી દિન" 2015 ની ઉજવણી માટે 'આઈ લવ સ્પેરો' નામની થીમ રાખવામાં આવી છે. લોકો અને ચકલીઓ ના સબંધોને ધ્યાનમાં રાખીને આ થીમ તૈયાર કરવામાં આવી છે. આવો મળીએ ચકલી પ્રેમી ચિરાગ માંગરોલીયા ને : પક્ષી પ્રેમી ચિરાગ માંગરોલીયા અમરેલી ના વડેરા ગામના વતની છે. તેઓએ ચકલીઓ ને બચાવવાના અભિયાન ના ભાગ રૂપે પોતાના ઘરમાં 200 થી વધુ ચકલીઓના માળા લગાવ્યા છે. વધુ મહત્વ ની વાત એ છે કે આ બધાજ માળામાં આજે ચકલીઓ સપરિવાર રહે છે અને ચકલીઓની ચીં ચીં ચિચયારીઓ થી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. ચિરાગભાઈ સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે શરૂઆતમાં તમને પાંચ માળા લગાવીને શરૂઆત કરી હતી આજે ત્રણ વર્ષ ના ગાળા માં માળા ની સંખ્યા 200 જેટલી થઇ ગઈ છે. ચકલીઓ માનવજીવનની મહત્વની કડી છે. ચકલીઓ ઝેરી જીવ ઝંતુંઓ ખાઈ જાય છે અને આજુ બાજુ નું વાતાવરણને શુદ્ધ રાખે છે. ચકલીઓ સામાન્ય રીતે સામાજીક પક્ષી છે. ધ વર્લ્ડ હેન્ડબુક ઓફ બર્ડ પ્રમાણે ચકલીઓની 26 માંથી 17 પ્રજાતિઓ ઘરની આસપાસ પોતાના માળાઓ બનાવે છે. દુનિયામાં ઘટી રહેલી ચકલીઓ ની સંખ્યાને ધ્યાનમાં રાખીને કેટલીક સંસ્થાઓ દ્વારા 20 માર્ચના રોજ "વિશ્વ ચકલી દિન" ઊજવવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ફ્રાન્સની ઈકો-એસવાસએસ એક્શન ફાઉન્ડેશન જોડાઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઉજવણી કરે છે. હાઉસસ્પેરો અને ઘરની આસપાસમાં રહેતાં પશુ-પક્ષીઓને બચાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.