આગામી ૬પમા સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી રાજ્યકક્ષાના મહોત્સવ સ્વરૂપે ખેડા જિલ્લાના નડિયાદમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એમ રાજ્ય સરકારના પ્રવકતા, મંત્રીશ્રીઓ સર્વશ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વ, પ્રજાસત્તાક પર્વ જેવા રાષ્ટ્રીય પર્વો અને ગુજરાત ગૌરવ દિવસ-સ્થાપના દિન અને વન મહોત્સવને ગાંધીનગરના સરકારી કાર્યક્રમની મર્યાદિત પરંપરાની ઉજવણીમાંથી બહાર લાવીને જનતા જનાર્દનની ભાગીદારીથી જૂદા જૂદા જિલ્લાઓમાં વિકાસ અને કર્તવ્યભકિતથી રાજ્યકક્ષાના મહોત્સવ તરીકે ઉજવવાનો જે ઉપક્રમ અપનાવ્યો છે તેને ગુજરાતની જનશકિતએ અભૂતપૂર્વ ઉમંગથી પ્રતિસાદ આપેલો છે.ગુજરાતમાં અત્યાર સુધીના સ્વાતંત્ર્ય પર્વ પાટણ(ર૦૦૩), આણંદ(ર૦૦૪), હિંમતનગર(ર૦૦પ), દાહોદ(ર૦૦૬), મહેસાણા(ર૦૦૭), પાલનપુર(ર૦૦૮), નર્મદા રાજપીપળા(ર૦૦૯) અને રાજકોટ(ર૦૧૦)માં રાજ્યકક્ષાના મહોત્સવ તરીકે ઉજવવામાં આવેલા છે અને હવે ર૦૧૧નું ૬પમું આઝાદી પર્વ રાજ્યકક્ષાના મહોત્સવ રૂપે ખેડા જિલ્લાના નડિયાદમાં ઉજવાશે.પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ૬પમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર ખેડા જિલ્લામાં જનશકિતની ભાગીદારીથી ઉજવાશે અને જનતા જનાર્દનના દેશભકિત અને કર્તવ્યભાવનાના ઉમંગ ઉત્સાહમાં મુખ્યમંત્રીશ્રી નડિયાદ ખાતે ૧પમી ઓગસ્ટ-ર૦૧૧ ના રોજ ધ્વજવંદન કરાવશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વસંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિના ઉત્સવ સહિત સમગ્ર ખેડા જિલ્લાના ગામે-ગામ અને નગરોમાં જનભાગીદારીથી વિકાસ ઉત્સવ ઉજવવાના જનહિતના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવશ્રીઓ જનસુખાકારી અને સુવિધા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે.પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે આઝાદીની લડતમાં નડિયાદ સહિત ખેડા જિલ્લાએ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મૂકત કરાવવા ઐતિહાસિક યોગદાન આપ્યું હતું અને ૬પમા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભકિત અને ભારત માતા માટે નાગરિકોમાં કર્તવ્યભાવ ઉજાગર કરવા માટેનો ગરીમાપૂર્ણ અવસર બની રહેશે.ગુજરાત માહિતી બ્યુરો વધુ વાંચો : ૬પમું સ્વાતંત્ર્ય પર્વ-ર૦૧૧ રાજ્યકક્ષાનો મહોત્સવ ખેડા જિલ્લાના નડિયાદમાં યોજાશે