મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહ સમક્ષ સરદાર સરોવર નર્મદા પ્રોજેકટ માટે કેન્દ્રીય આયોજન પંચ દ્વારા સંવર્ધિત મૂડીરોકાણ (Revised Investment Clearance)ની મંજૂરી વહેલીતકે મળે તેવી રજૂઆત કરી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડો. મનમોહનસિંહને દિલ્હીમાં સોમવારે મોડી સાંજે રૂબરૂમાં આ અંગેનો પત્ર આપ્યો હતો જેમાં ભારતના આયોજન પંચે ઓકટોબર ૧૯૮૮માં જ્યારે પ્રોજેકટનો ખર્ચ રૂા. ૬૪૦૬ કરોડ અંદાજવામાં આવ્યો હતો ત્યારે તે સંદર્ભમાં (Investment Clearance) મૂડીરોકાણ મંજૂરી આપી હતી. ત્યારબાદ સરદાર સરોવર પ્રોજેકટ અનેકવિધ કાનૂની ગૂંચો અને વિવાદોમાં અટવાઇ ગયો હતો અને વાસ્તવિક રીતે તેના બાંધકામનું કાર્ય તો ર૦૦૦ના વર્ષથી શરૂ થયેલું, ત્યારબાદ અવિરત પુરૂષાર્થ દ્વારા ૪પ૯ કી.મી.ની મુખ્ય કેનાલ સંપૂર્ણ કાર્યરત કરીને રાજસ્થાન સુધી પાણી પહોંચાડયું છે, એટલું જ નહીં પ્રોજેકટ અત્યંત ઝડપથી ગતિશીલ રીતે આગળ વધે અને બાકીનું બધું જ કાર્ય સમયબધ્ધ રીતે પુરૂં થાય તેવા વિશ્વાસ સાથે પ્રોજકેટ આગળ વધતો જ રહ્યો છે. આ સંદર્ભમાં, જ્યારે સરદાર સરોવર પ્રોજેકટ માટેની કેન્દ્રીય જળસંસાધન મંત્રાલયની ટેકનીકલ સલાહકાર સમિતિએ તા. ૧૧મી માર્ચ-ર૦૧૦ના રોજ પ્રોજેકટનો સુધારેલો ખર્ચ અંદાજ (સને ર૦૦૮-૦૯ની ભાવ સપાટીના ધોરણે) હવે રૂા. ૩૯ર૪૦.૪પ કરોડ નિધાર્યો છે અને તે માટેની ભલામણ પણ કેન્દ્રીય આયોજન પંચને કરી દીધી છે એની વિગતો આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારનું આયોજન પંચ સરદાર સરોવર પ્રોજેકટની સંવર્ધિત મૂડીરોકાણની મંજૂરી (Revised Investment Clearance) વહેલીતકે આપે એ આવશ્યક છે. આના અભાવે આ પ્રોજેકટ માટે એકસેલરેટેડ ઇરીગેશન બેનીફીટ સ્કીમ (AIBP) અને કેન્દ્ર પુરસ્કૃત કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની સહાયનો લાભ મળતો નથી એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત માહિતી બ્યુરો વધુ વાંચો : સરદાર સરોવર પ્રોજેકટને માટે ભારત સરકારનું આયોજન પંચ સંવર્ધિત મૂડીરોકાણની મંજૂરી સત્વરે આપે