મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સોયાયુકત ફોર્ટિફાઇડ આટાના વિતરણનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે ગરીબોને કુપોષણની સમસ્યામાંથી મૂકત કરવાના અભિયાનમાં સોયાબીન જેવા પોષક આહારની આ મહત્વાકાંક્ષી યોજના સમગ્ર દેશને સ્વસ્થ સમાજના નિર્માણની દિશા બતાવશે. રાજ્ય સરકારે તો રૂા. ર૦૦ કરોડનો વધારાનો બોજ ઉપાડીને પણ ગરીબોના પોષણ માટેની કાળજી લીધી છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે પણ ગુજરાતના પોષક આહાર માટેના ફૂડ ફોર્ટિફિકેશનના પ્રોજેકટની પ્રસંશા કરી છે અને ધઉંના ફોર્ટિફાઇડ આટાની યોજનાની સફળતાના પગલે આજે ગુજરાત સરકારે સોયાયુકત ફોર્ટિફાઇડ આટાનું ગરીબોને વિતરણ કરવાનું સમગ્ર દેશમાં પહેલું અભિયાન ઉપાડયું છે. કુપોષણ સામેની લડાઇમાં સમગ્ર દેશમાં આગવી પહેલ કરનારી ગુજરાત સરકારે, હવે રાજ્યના ૩૪ લાખ જેટલા ગરીબ કુટુંબોને ધઉંની સાથે પ્રોટીનસભર સોયાયુકત આટો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આપવાનો સ્વર્ણિમ જ્યંતી વર્ષથી પ્રારંભ કર્યો છે. ગરીબી રેખા હેઠળના બીપીએલ કુટુંબો અને અંત્યોદય યોજનાના કાર્ડ ધારકોને સોયાયુકત ફોર્ટિફાઇડ આટાના આ વિતરણ માટેના મહત્વાકાંક્ષી પ્રોજેકટ માટે રાજ્ય સરકારે રૂા. ર૦૦ કરોડનો વધારાનો બોજ ઉપાડયો છે અને કુપોષણથી પીડાતા ગરીબોને પૌષ્ટિક આહારથી સ્વાસ્થ્ય રક્ષાશકિત પૂરી પાડશે. દરમહિને ૪ કરોડ કીલો ધઉ અને ર૦,૦૦૦ કીલો સોયાનું ફોર્ટિફિકેશન આટામાં કરવામાં પ૦ આટા મીલોની જનભાગીદારી મેળવવામાં આવી છે અને આશરે ૧.૭૦ કરોડ બી.પી.એલ. તથા અંત્યોદય કાર્ડધારકોને / લાભાર્થીઓને રૂા. બે ના કીલો દીઠ આ સોયાયુકત ધઉના પ્રોટીન ફોર્ટિફાઇડ આટાનું વિતરણ કરાશે. ૧૯૩૦માં ૬ઠ્ઠી એપિ્રલે મહાત્મા ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડીને વિદેશી સલ્તનતને દેશવટો દેવાની આહલેક જગાવી હતી આ જ દિવસે, ભગવાન ઇશુનો Resurrecation યોગ હતો અને ભારતના રાજકારણમાં આજથી ૩૦ વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીનો આ ૬ ઠ્ઠી એપિ્રલે ૧૯૮૦માં જન્મ થયો અને દેશની રાજનીતિના મજબૂત વિકલ્પ તરીકે ઉભરી હતી તેની વિચારધારામાં દરિદ્રનારાયણ અને છેવાડાના માનવીના કલ્યાણ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલબિહારી વાજપેઇજીના આદર્શો હતા. આજે ૬ઠ્ઠી એપિ્રલે ગુજરાત સરકાર ગરીબ માનવીના સુખ સ્વાસ્થ્ય માટે નવી પહેલ કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. કૃપોષણના જંગ સામે સફળતાથી અનેક પગલાં ભરીને હવે સોયાનું સુખીધરોનું આહાર તત્વ ગરીબોના ધરમાં પહોંચાડવાની સમગ્ર દેશમાં ગુજરાતે પહેલ કરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. સોયાબીન એ દુનિયામાં આરોગ્ય માટેની એક ચાવીરૂપે પૂરવાર થયું છે પરંતુ તે અમીર-માલેતુજાર પરિવારોને પાલવે તેવું મોધું છે ત્યારે કુપોષણથી શરીરના વિકાસમાં ઉણપો ભોગવતા ગરીબો સુધી સોયાનો વપરાશ કઇ રીતે થાય તેની ચિન્તા ગુજરાત સરકારે કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. કુપોષણથી ગરીબો શરીરની ઉણપોથી પીડાતા હોય તો સમાજના સ્વાસ્થ્યની દુર્દશા કેવી હોય તેનું મંથન કરીને બાળકને માતાનું સ્તનપાન કરાવવા માટેના લોકશિક્ષણથી લઇને બાલભોગ, દૂધ સંજીવની, આંગણવાડી ન્યુટ્રીકેન્ડી વગેરે પોષણક્ષમ તત્વોથી બાળકોની સ્થિતિમાં હેમોગ્લોબિનમાં સુધારો થયો છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આજના સ્વાસ્થ્ય સંભાળ અને સૌન્દર્ય સંભાળના જમાનામાં અમીરોમાં પણ કુપોષણની સમસ્યા છે પરંતુ ગરીબ અને છેવાડાના માનવીનું કોણ એની પીડાથી ગુજરાતની સંવેદનશીલ સરકારે કુપોષણ સામેની લડાઇમાં અબજો રૂપિયાનો બોજ ઉપાડયો છે એટલું જ નહીં, સમાજની ભાગીદારીથી લીલાંશાકભાજી ધરઆંગણે વાવવાના બિયારણોનું વિતરણ વિનામૂલ્યે ગરીબ પરિવારોને આપવાનું અભિયાન ઉપાડયું, મધ્યાન્હ ભોજન યોજના, સંકલિત બાળવિકાસ યોજનામાં પોષક વિટામીનયુકત આહારો આપ્યા, કિશોરી શકિત યોજના દ્વારા શાળામાં ભણતી કિશોરીઓને વિટામીનયુકત ટેબલેટ્સ અને વધારાના અનાજની વ્યવસ્થા કરી છે. સમાજની સંવેદના જગાવીને સગર્ભા માતાઓને સુખડીનો પોષક આહાર અને ગરીબ ગ્રામીણ બાળકોને ગામેગામ ભગવાનના ભાગરૂપે દૂધના દાનનું અભિયાન સુપેરે ચાલી રહ્યું છે. બાળક અપંગ ન જન્મે અને સગર્ભા માતાની તંદુરસ્તીની કાળજી લઇને તેવા વિકલાંગ બાળકનો બોજ અને સગર્ભા માતાના સ્વાસ્થ્યની પીડામાંથી સમાજને મૂકત કરવાનું બીડું ઝડપ્યું છે. આથીય આગળ કદમ ભરીને શરીરમાં પોષક તત્વો મળે તે માટે ફોર્ટિફાઇડ આટાની જાહેર વિતરણ વ્યવસ્થાનું અભિયાન સફળ બનાવ્યું અને હવે ગરીબોને પ્રોટીનસભર સોયાનું તત્વ વિટામીનો સાથે ધઉમાં સંમિશ્રણ કરીને અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકો એવા પોણા બે કરોડ જેટલા ગરીબ અને છેવાડાના માનવીને પોષક આહાર આપવાનું માનવીય સંવેદનાનું અનોખું અભિયાન ઉપાડયું છે એની સુપેરે ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. “ગરીબ માનવીને ભોજનમાં સોયાના આહારની પાયાની પોષણ સુવિધા કઇ રીતે મળે એવી રીતે સર્વગ્રાહી વ્યૂહથી કુપોષણ સામે જંગ ઉપાડયો છે એની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.” અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રજાજનોને કુપોષણ સામે રક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે ફુડ ફોર્ટિફિકેશનનો નવતર અભિગમ અપનાવી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિ હેઠળ કુપોષણ સામે જંગનું અભિયાન છેડયું છે. તેમણે ઉમેર્યુ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે સેવેલા સ્વપ્નને સાકાર કરવા આ અવસરે ગરીબોને ફોર્ટિફાઇડ આહાર પૂરો પાડવાનો મકકમ નિર્ધાર કરીને આ નવતર અભિગમથી સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત સોયાયુકત ફોર્ટીફાઇડ આટા વિતરણનો કાર્યક્રમ શરૂ થયો છે તે સમગ્ર દેશને નવો રાહ આપશે. રાજ્ય સરકારના આ અભિગમની દેશ આખાએ નોંધ લઇ અન્ય રાજ્યોને ફોર્ટિફિકેશન માટે ગુજરાતને મોડલ સ્વરૂપ ગણવા સૂચવ્યું છે. તેમણે ઉમેર્યું કે, કુપોષણ એ સમાજનું કલંક છે ત્યારે રોજબરોજના ખોરાકમાં જરૂરી વિટામીન અને પોષક તત્વોના જથ્થાને વધારી ફુડ ફોર્ટિફિકેશન દ્વારા મીનરલ્સ પૂરા પાડવામાં આવે છે. રાજ્ય સરકારે ફુડ ફોર્ટિફિકેશનની શરૂઆત વર્ષ ર૦૦પમાં કરી જનભાગીદારી દ્વારા ખાઘતેલમાં વિટામીન "ડી' ભેળવીને વિતરણ કરવાનું શરૂ કર્યું. જાહેર વિતરણ વ્યવસ્થામાં “સોયાયુકત ફોર્ટિફાઇડ આટા” યોજના હેઠળ અંત્યોદય અને બી.પી.એલ. પરિવારોને વિતરણ કરાશે. પ્રારંભમાં અન્ન નાગરિક પુરવઠા સચિવશ્રી રાજકુમારે સ્વાગત પ્રવચનમાં આ યોજના હેઠળ બી.પી.એલ.ના ર૬ લાખ પરિવારો તેમજ અંત્યોદય યોજનાના ૮ લાખ પરિવાર મળી કુલ ૩૪ લાખ પરિવારોને આવરી લેવાની વિસ્તૃત યોજનાકીય રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ટોકન સ્વરૂપે સોયાયુકત ફોર્ટીફાઇડ આટાનું વિતરણ ગરીબ લાભાર્થીઓને કર્યું હતું. રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના કાર્યવાહ સંચાલકશ્રી આર. કે. પાઠકે આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલ, સંસદીય સચિવશ્રી જયદ્રથસિંહજી પરમાર, મુખ્યસચિવશ્રી એ. કે. જોતિ સહિત ધારાસભ્યશ્રીઓ, વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ તથા રાજ્યભરમાંથી બી.પી.એલ. પરિવારજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું બાયસેગ નેટવર્ક દ્વારા ગામેગામ જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત માહિતી બ્યુરો વધુ વાંચો : ગરીબોના સ્વાસ્થ્યની કાળજી લેનારી ગુજરાત સરકારની આ યોજના પણ ભારતમાં પથદર્શક બનશેઃ મુખ્યમંત્રીશ્રી