સ્વામી રામકૃષ્ણ પરમહંસનાં ધર્મ પત્ની શારદામણિ કાલી માતાનાં અનન્ય ભક્ત હતા. ભાવપૂર્ણ રીતે તે કાલી માતાનાં શૃંગાર કરતાં. એ કામમાં એમને અન્ય કેટલીક મહિ લાઓ પણ મદદ કરતી. તેમને પણ આ કામમાં આનંદ આવતો હતો. કાલીમાની પ્રતિ માને સજાવવામાં જે મહિ લાઓ મદદ કરતી હતી, તેમાં એક મહિ લા એવી પણ હતી કે જે કુળ અને શીલની દૃષ્ટિ એ નીચી ગણાતી હતી. માતા શારદામણિ એ બધું જાણતાં હતાં પણ એમણે કદી એ મહિ લાને રોકી નહોતી. બીજી મહિ લાઓની જેમ એને પણ આદર આપતાં અને અલંકાર વિધિ માં એને પ્રેમપૂર્વ ક ભાગ લેવા દેતાં. એક દિ વસ એક કુળવાન મહિ લાએ માતાજીને કહ્યું કે ‘અમુક સ્ત્રી ઓ ઉચ્ચ કુળની નથી. નીચા કુળ અને ખોટા ચારિત્ર્યની પણ છે. દેવી માતાની પ્રતિ માને તમે સ્પર્શ વા દેશો નહીં. એને મંદિ રની બહાર જ રાખો તો સારું રહેશે.’ શારદામણિએ તેમને સમજાવતાં કહ્યું કે ‘જુઓ, ગંગામાં બધા લોકો સ્ના ન કરતા હોય છે. તેમાં નહાનારાં મલિ ન પણ હોય છે, પરંતુ તેનાથી કંઇ ગંગા મૈયાની પવિત્રતા નાશ પામતી નથી કે એમની મહિ મા પણ ઘટતી નથી. જીવનમાં કોઇ નીચા ઊતરી જાય તો એ પોતાના દોષોને લીધે ઊતરી જતા હોય છે. સ્પર્શ કોઇને કદી નીચો પાડી શકતો નથી. તો પછી પાપનાશિ ની ગણાતાં કાલી માતાની પુણ્યપ્રભા એ મહિ લાના સ્પર્શ થી કઇ રીતે મલિ ન થઇ જાય?’ એ સાંભળીને ટીકા કરનારી પેલી મહિ લાને પોતાની ભૂલ સમજાઇ. તેને લાગ્યું કે માતાજીની વાત સાચી છે. આપણે પાપથી ધૃણા કરવી જોઇએ, પાપીથી નહીં. તેણે એ ક્ષણ થી જ પોતાના વિચારો બદલી નાખ્યા અને મા શારદામણિની માફી માગી. મા શારદામણિ ઉચ્ચ કક્ષાનાં સાધિ કા જ નહીં, પણ તમામ આશ્રમવાસીઓનાં પ્રિય, આદરણીય હોવાને કારણે સૌની મા પણ હતાં. રામકૃષ્ણ પરમહંસ પણ એમને મા કહીને જ સંબોધતા.