વ્યાસજી કહે છે-નિષ્પાપ રાજન! તમે જે જે પૂછ્યું હતું, તે બધુ મે તમને કહી સંભળાવ્યુ. આઠમા સ્ક્ધથી માંડીને અહી સુધીનો પ્રસંગ મહાત્મા નારદજીને ભગવાન વિષ્ણુએ કહ્યો છે, તે મે તમને કહ્યો. ભગવતી મહાદેવીનું આ પુરાણ અદભૂત છે. તેને સાંભળીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે;કારણ કે આનાથી દેવી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. રાજેન્દ્ર! હવે તમે તમારા પિતાશ્રીના ઉદ્ધાર માટે દેવીયજ્ઞ કરો. સર્વપ્રથમ દેવીના સર્વોતમ મંત્રની દિક્ષા લેવી. વિધિવિધાન સાથે ગ્રહણ કરેલો મંત્ર મનુષ્ય જન્મને સાર્થક કરે છે.