વ્યાસજી કહે છે-રાજન! કોઈ એક સમયે પ્રાણીઓને તેમના કર્મભોગની સજા રૂપે વરસાદ ના થયો. આ અનાવૃષ્ટિથી મનુષ્યો દુ:ખી થઈ ગયા. આવી ભયંકર સ્થિતિમાં બ્રામાણોએ ભેગા થઈને એક એવો ઉત્તમ વિચાર રજૂ કર્યો કે, ગૌતમમુનિ મહાતપસ્વી છે, અત્યારે તે જ આપણું દુ:ખ દૂર કરી શકે છે; તેથી આપણે બધા તેમના આશ્રમ પર જઇયે. તે મુનિ તેમના આશ્રમમાં ભગવતી ગાયત્રીની ઉપાસના કરી રહ્યા છે. આશ્રમમાં બ્રામણોના મોટા સમુદાયને આવેલો જોઈને ગૌતમમુનિએ તેમને પ્રણામ કર્યા. આસન વગેરે ઉપચારોથી તેમણે તે બ્રામાણોનું પૂજન કર્યું. કુશળ સમાચાર પૂછ્યા પછી તેમના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે બધા બ્રામાણોએ પોત પોતાનું દુ:ખ તેમને કહ્યું. બ્રામણ સમાજ અત્યંત દુ:ખી હતો. તે બધાના દૂ:ખ જોઈને મુનિએ તેમને અભય આપ્યું અને પછી કહ્યું- વિપ્રો! આ આશ્રમ આપનો જ છે. અત્યારે તમો સૌ તપોધન બ્રામણોના પધારવાથી હું ધન્ય ધન્ય થઈ ગયો છું. જેમના દર્શન માત્રથી પાપો, પુણ્યમાં ફેરવાઇ જાય છે, તે બધા બ્રામણો પોતાની ચરણરજથી આ આશ્રમને પવિત્ર કરી રહ્યા છે. આપના અનુગ્રહથી હું ધન્ય થઈ ગયો છું. સંધ્યા અને જપમાં પારાયણ રહેનારા આપ સર્વો અહી સુખરૂપે નિવાસ કરો. વ્યાસજી કહે છે-ગૌતમમુનિ આ પ્રમાણે બધા બ્રામાણોને આશ્વાસન આપીને ભક્તિભાવથી ભગવતી ગાયત્રીને પ્રાર્થના કરવા લાગ્યા - 'દેવી' તમને નમસ્કાર હો. તમે મહાવિદ્યા, વેદમાતા, અને પરાત્પર સ્વરૂપીણી છો. વ્યાહતિ આદિ મહામંત્રો અને પ્રણવ ઓમકાર તમારું જ રૂપ છે. માતા! તમે સામ્યવસ્થામાં બિરજો છો. હ્રીંકારરૂપી તમને નમસ્કાર હો. 'સ્વાહા' અને 'સ્વધા' રૂપ! હે સંગરપુરુસાર્થને આપનારા! હે ત્રણ અવસ્થાઓના સાક્ષીરૂપ! હે તુરીય અવસ્થાથી પર સ્વરૂપવાળા! હે સચ્ચિદાનંદરૂપ! હે સર્વ વેદાંત દ્રારા જાણવા યોગ્ય અને સૂર્યમંડળમાં વસનારા! તમને હું નમસ્કાર કરું છું. પ્રાત:કાળે તમે બાળસૂર્ય જેવા રક્તવર્ણવાળા કુમારી, મદયાહનકાળે શ્રેષ્ઢ યુવતી અને સાયંકાળમાં વૃદ્ધારૂપે બિરાજો છો. હું તમને નિત્ય પ્રણામ કરું છું. સંપૂર્ણ પ્રાણીઓનો ઉદ્ધાર કરનારાં દેવી પરમેશ્વરી! તમે મારા અપરાધને ક્ષમા કરો.' ગૌતમમુનિએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી જગદ્મ્બા તેમની સામે પ્રગટ થયા. તેમણે મુનિને એવું પાત્ર આપ્યું જેનાથી સર્વના ભરણ-પોષણની વ્યવસ્થા થઈ શકે. પછી દેવીએ મુનિને કહ્યું, 'મુનિ! તમારે જે વ્સ્તુઓની જરૂર હશે તે તમામ આ પાત્ર આપશે.' આમ કહીને શ્રેષ્ઢ કળા ધારણ કરનારાં દેવી ભગવતી અંતર્ધાન થઈ ગયા. રાજન! તે સમયે એ પત્રમાં ઉત્પન્ન થયેલા અનાજના પર્વત જેવા ઢગલા થઈ ગયા. છ પ્રકારના વિવિધ રસ, અનેક પ્રકારનું ધાસ, દિવ્ય આભૂષણો, રેશમી વસ્ત્રો, યજ્ઞોની સામગ્રીઓ તથા અનેક પ્રકારના પાત્રો દેવીના આપેલા પૂર્ણપટર