ઋષિઓએ પૂછ્યું - હે મહબુદ્ધિમાન સૂતજી! મહાભાગ વસુદેવે પુત્રને કઈ રીતે પ્રાપ્ત કર્યા? ભગવાન શ્રીકૃષ્ણએ પરિભ્રમણ કરીને પ્રસેનને ક્યાં શોધ્યો આને શા માટે શોધ્યો? શ્રીમદ દેવી ભાગવતની આ કથા વસુદેવજીએ ક્યાં વિધિ પ્રમાણે સાંભળી આને તેના વક્તા કોણ હતા? એ કહેવાની કૃપા કરો. સૂતજી બોલ્યા - ભોજવંશી રાજા સટરજીત દ્રારકામાં આનંદપૂર્વક રહેતા હતા. તેઓ સતત સૂર્યનારાયનની આરાધના કરતાં હતા. સૂર્યદેવે સત્રાજિતની ભક્તિથી પ્રસન થઈને તેમને સૂર્યલોકનું દર્શન કરાવ્યું આને 'સ્યમંતક' નામનો એક મણિ પણ આપ્યો. સત્રાજિત તે મણિને ગાળામાં પહેરીને દ્વારકા આવ્યા. તે મણિ અત્યંત તેજસ્વી હતો. સત્રાજિત ને જોઈને લોકો, તે સ્વયં સૂર્યનારાયણ છે, એવું સમજ્યા. તેઓ સુધર્મા સભામાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યા - 'જગતપ્રભુ! જુઓ, આ સૂર્યનારાયણ આવી રહ્યા છે.' લોકોની વાત સાંભળીને ભગવાન શૃકૃશ્ણ્ણ મુખ પર હાસ્ય છવાઈ ગયું અને તેઓ બોલ્યા - 'અરે બાળકો! આ સૂર્યદેવ નથી, આ તો સ્યમંતક મણિને કારણે તેઓ તેજસ્વી દેખાય છે. આ મણિ ભગવાન સૂર્યદેવે તેમણે આપ્યો છે.