સૂતજી કહે છે - જે મુનિવરો! હવે બીજો ઇતિહાસ સાંભળો, જેમાં આ દેવીભાગવતનું માહાત્મ્ય કહેવામાં આવ્યું છે. એક વખતની વાત છે કે મુનિવર અગસ્ત્યજી, જેમના પત્ની લોપામુદ્રા સાથે કાર્તિકસ્વામી પાસે ગયા અને પ્રણામ કરીને તેમની પાસે અનેક કથાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી.