ઈશ્વરના સ્વરૂપ વિષે
જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તેતણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કાઇ નવસરે, ઊગરે એક ઉદ્રેવ્ગ ધરવો;
હું કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિમંડાણ છે સર્વ એની પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે.
નીપજે નરથીતો કોઈ ન રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાયને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં, ભવનપર ભવનપર છત્ર દાખે;
રતું લતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જહના ભાગ્યમાં જહને જે લખ્યું, તેહને તે સામે તેજ પહોંચે.
સૂખ સંસારી મિથ્યા કરી માનજો, ક્રુષ્ણ વિના બીજું સર્વ કાંચું;
જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તેતણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કાઇ નવસરે, ઊગરે એક ઉદ્વ્રેગ ધરવો.
અખિલ બ્રંહાંડમાં એક તું શ્રીહરિ, જુંજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વ્રક્ષ થઈ ફૂલી રહિયો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.
વેદતો એમ વડે શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિષે ભેદ નોય;
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતેતો હેમનું હેમ હોય;
વ્રક્ષમાં બીજ તું, બીજમાં વ્રક્ષ તું, જોઉ પટતારો એજ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.