ઇ.સ. ૧૯૧૪ માં આદરણિય જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પૅલેસનું બાંધકામ કરાવ્‍યું હતું. જે યુરોપીય સ્‍થાપત્‍યો તથા ભારતીય કોતરણી કામનું સુંદર નમૂનો છે. અહીંના પ્રવેશદ્વારા બે વાઘોના શિલ્‍પ સાથે શણગારવામાં આવ્‍યો છે. દરબાર હોલ મોઝેક ફલોર, સાત ડોમ, બાર બારીઓ, બાલ્‍કની દ્વારા સજાવવામાં આવેલ છે. આ મહેલ ૭૨૦ એકરમાં ફેલાયેલો છે તેમાં બગીચો અને ગોલ્‍ફ કોર્સ પણ સામેલ છે. મહેલની દિવારોં પર પશુ, પક્ષી, ફૂલો, પાંદડાઓની કોતરણી કરવામાં આવી છે. અહીંના સ્‍થાપત્‍યના ઉત્તર ભારત, મધ્‍ય ભારત, દક્ષિણ ભારત, ઇસ્‍લામિક પરંપરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે. વર્તમાન સમયે આ ભારતીય રેલ્‍વેના કર્મચારીઓનો નિવાસ સ્‍થાન છે.